એનએસઆઈટી-આઈએફએસસીએસમાં IEEE સમર્થિત રાષ્ટ્રીય એસટીટીપીનું આયોજન 10 થી 14 ફેબ્રુઆરી સુધી

અમદાવાદ, 14 જાન્યુઆરી l નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી (NSIT-IFSCS), જેટલપુર, અમદાવાદ ખાતે GUJCOST પ્રાયોજિત રાષ્ટ્રીય સ્તરના એક સપ્તાહીય હાઇબ્રિડ શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ (STTP)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ “AI Sentinel: Pioneering Cyber Security and Digital Investigation” શીર્ષક હેઠળ 10 થી 14 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. કાર્યક્રમના સફળ આયોજન માટે શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશ તથા શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસના સાનિધ્યમાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય સંરક્ષક તરીકે સંસ્થા વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ ધર્મેશ વંડરા, સંરક્ષક તરીકે પ્રાચાર્ય પ્રો. (ડૉ.) શૈલેશ અય્યર તથા કેમ્પસ ડાયરેક્ટર સંજય શર્મા, સંયોજક તરીકે સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડૉ. નિકુંજ થહિલરમાણિ, આયોજન સચિવ તરીકે સહાયક પ્રાધ્યાપક વિનય અસેરી, સમન્વયક તરીકે સહાયક પ્રાધ્યાપક ડૉ. આકાશ ઠક્કરનો સમાવેશ થાય છે. આયોજન સમિતિના સભ્યોમાં ડૉ. વિશાલી શર્મા, ડૉ. કલ્પેશ સોલંકી, ડૉ. સચિન દેવ, મિસ ખુશબૂ ગૌતમ, અનંત કુમાર પાટીલ અને મિસ મીનલ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે l
NSIT-IFSCSના પ્રાચાર્ય પ્રો. (ડૉ.) શૈલેશ અય્યરે જણાવ્યું કે આ તાલીમ કાર્યક્રમને IEEE ગુજરાત સેક્શન તરફથી ટેક્નિકલ સ્પોન્સરશિપ પ્રાપ્ત થઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. વધુમાં, આ એસટીટીપીમાં SOEBIT_Cybersecurity, નેધરલેન્ડ્સ (યુરોપ) સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ સ્થાપિત થયો છે, જેના પરિણામે આ કાર્યક્રમને વૈશ્વિક શૈક્ષણિક તથા ઔદ્યોગિક દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. આ સહયોગ દ્વારા ભાગ લેનારાઓને એઆઈ આધારિત સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ તથા નવીનતમ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મળશે. તેમણે વિશેષરૂપે જણાવ્યું કે આ કાર્યક્રમ IEEE સ્ટુડન્ટ બ્રાંચ, NSIT-IFSCS અંતર્ગત આયોજિત થઈ રહ્યો છે અને સંસ્થાની નવી સ્થાપિત IEEE સ્ટુડન્ટ બ્રાંચ દ્વારા આયોજિત પહેલો કાર્યક્રમ છે. સંસ્થાની પ્રાધ્યાપિકા ડૉ. વિશાલી શર્માએ જણાવ્યું કે આ સિદ્ધિ સંસ્થાની નવીનતા, વ્યાવસાયિક ઉત્તમતા અને વૈશ્વિક શૈક્ષણિક સહભાગિતાપ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પાંચ દિવસીય આ ગહન તાલીમ કાર્યક્રમમાં એઆઈ ઇન સાયબર સિક્યુરિટી અને ફોરેન્સિકની આધારભૂત ધારણાઓ, એઆઈ સહાયિત ડિજિટલ ફોરેન્સિક, કાયદા અમલ માટેના એઆઈ સાધનો, ગુનાહિત તપાસ તથા કાનૂની પાસાઓ, તેમજ સાયબર સિક્યુરિટીની ભાવિ પડકારો અને દિશાઓ જેવા અદ્યતન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એસટીટીપી હાઇબ્રિડ મોડમાં યોજાશે, જેમાં ઓફલાઇન સત્રો NSIT કેમ્પસ, જેટલપુર ખાતે અને ઑનલાઇન લાઇવ ઇન્ટરએક્ટિવ સત્રો રેકોર્ડિંગ સુવિધા સાથે સમગ્ર ભારતના ભાગ લેનારાઓ માટે ઉપલબ્ધ રહેશે. ગુજરાતના ભાગ લેનારાઓને ઓફલાઇન મોડમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જેથી તેઓ હેન્ડ્સ-ઓન તાલીમ, નિષ્ણાતો સાથે સીધો સંવાદ, નેટવર્કિંગ, કિટ તથા રિફ્રેશમેન્ટનો લાભ મેળવી શકે, જ્યારે અન્ય રાજ્યોના ભાગ લેનારાઓ માટે ઑનલાઇન મોડ અનુકૂળ રહેશે. આ કાર્યક્રમ વરિષ્ઠ સ્નાતક અને સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ, સંશોધક, ફેકલ્ટી સભ્યો, ઉદ્યોગ નિષ્ણાતો, નવપ્રવર્તકો અને ઉદ્યમીઓ માટે વિશેષરૂપે ઉપયોગી છે, જે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ તપાસના ક્ષેત્રમાં અદ્યતન જ્ઞાન તથા વૈશ્વિક માન્યતા મેળવવા ઇચ્છે છે.
ડૉ. વિશાલી શર્માએ માહિતી આપી કે નોંધણી માટે https://forms.gle/JYBRamFCzPdAGZAy9 લિંક પર જઈ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે l નોંધણી તથા અન્ય માહિતી માટે વિનય અસેરી (7296996382) અને ડૉ. આકાશ ઠક્કર (8200456503)નો સંપર્ક કરી શકાય છે lકેમ્પસ ડાયરેક્ટર સંજય શર્માએ જણાવ્યું કે IEEE તથા એક પ્રતિષ્ઠિત યુરોપિયન સાયબર સિક્યુરિટી સંસ્થાના સમર્થન સાથે આ કાર્યક્રમ ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને વ્યાવસાયિક મૂલ્ય પ્રદાન કરવાની ખાતરી આપે છે, જેના પરિણામે NSIT સાયબર સિક્યુરિટી અને અદ્યતન સંશોધન ક્ષેત્રમાં એક ઉદયમાન કેન્દ્ર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે l



